ગુજરાતમા ફરીવાર શિક્ષકોની ભરતી મુદ્દે આંદોલન શરૂ થયું છે. પાટનગર ગાંધીનગરમાં આજે ટાટ પાસ ઉમેદવારો ભેગા થયા હતાં. તેમણએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ધરણાં યોજી શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માગ કરી હતી. ધરણાં કરી રહેલા ઉમેદવારોએ સુત્રોચ્ચાર કર્યા હતાં. કચ્છની જેમ ધો.9 અને 12માં શિક્ષકોની ભરતી કરવા માગ કરાઈ હતી.


ગાંધીનગરમાં ટાટ પાસ ઉમેદવારોના ધરણાં

ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ટેટ પાસ ઉમેદવારો ભેગા થયા હતાં. આ ઉમેદવારોએ એકઠા થઈને શિક્ષક ભરતીની માગ સાથે ધરણાં કર્યા હતાં. ભારે સુત્રોચ્ચાર સાથે સરકાર પાસે શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માગ કરી હતી. ધો. 9 અને 12માં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોએ માગ કરી હતી. આ ઉપરાંત ચાલુ ભરતીમાં પણ બીજો રાઉન્ડ બહાર પાડવાની માગ કરી હતી.


આ પણ વાંચોઃ Surat News: શહેરમાં નિવૃત્ત પોલીસ કર્મીનો પુત્ર વ્યાજખોર બન્યો, 90 હજારની સામે 1.73 લાખ પડાવ્યા છતાં ધરાયો નહીં

  • Follow us on: