નવસારીથી ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા આતંકી ફૈઝાનની પૂછપરછ દરમિયાન અત્યંત ગંભીર ખુલાસા થયા છે. ATS દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં માર્ચમાં 7 વ્યક્તિઓની હત્યા કરવાની યોજના બનાવવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.


જે વ્યક્તિની સુરક્ષામાં કચાશ હોય તેની હત્યાનો પ્લાન ઘડ્યો હતો

આતંકી ફૈઝાનની પૂછપરછમાં જે જાણવા મળ્યું છે તેને લઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસ રિમાન્ડમાં આતંકીએ ખુલાસો કર્યો હતો કે જે વ્યક્તિની સુરક્ષામાં કચાશ હોય તેની હત્યાનો પ્લાન ઘડ્યો હતો.

હત્યા કરવા માટે ફૈઝાને પહેલાથી જ રેકી કરીને પ્લાનિંગ કર્યું

તેના જણાવ્યા મુજબ, ફૈઝાને એવા લોકો જેમણે પયગંબર વિરુદ્ધ નિવેદનો આપ્યા હોય તેમને ટાર્ગેટમાં રાખ્યા હતા. હત્યા કરવા માટે ફૈઝાને પહેલાથી જ રેકી કરીને પ્લાનિંગ કર્યું હતું.

રિમાન્ડ દરમ્યાન વધુ ખુલાસા થવાની સંભાવના

ફૈઝાનની પૂછપરછ હજુ ચાલુ છે અને તેના રિમાન્ડ દરમ્યાન વધુ ખુલાસા થવાની સંભાવના છે. આતંકીના ક્યા નાપાક ઇરાદા હતા તેની વધુ ચોંકાવનારી માહિતી પોલીસ તપાસમાં બહાર આવી શકે છે.

ફૈઝાન દરજીકામ કરતો હતો

ઉલ્લેખનિય છે કે મુળ ઉત્તરપ્રદેશનો વતની ફૈઝાન નવસારીમાં રહીને દરજીકામ કરતો હતો અને એટીએસને બાતમી મળી હતી કે ફૈઝાન કટ્ટરપંથી વિચાર ધરાવે છે અને કોઇ મોટા કાવતરાંને અંજામ આપવાનો છે જેથી પોલીસે દરોડો પાડીને તેને ઝડપી લીધો હતો.

જૈશ એ મોહમ્મદ અને અલ કાયદા જેવા સંગઠનોના આતંકીઓને ફોલો કરતો

પોલીસ તપાસમાં જણાયું હતું કે ફૈઝાન શેખ સોશિયલ મીડિયા અને અન્ય ઓનલાઇન માધ્યમો દ્વારા રેડિકલ થયો હતો અને તે જૈશ એ મોહમ્મદ અને અલ કાયદા જેવા સંગઠનોના આતંકીઓને ફોલો કરતો હતો. ફૈઝાન લોન વુલ્ફ તરીકે એટલે કે એકલો જ હુમલો કરવાની તૈયારી કરી રહ્યો હતો.


આ પણ વાંચો-----     Rajkot : પતિદેવોના વહીવટથી DDO લાલઘૂમ, પંચાયતમાં પતિદેવ વહીવટ કરશે તો તલાટી સામે કાર્યવાહી થશે, અન્ય કોઇની સહી હશે તો પણ કાર્યવાહી

  • Follow us on: