ગાંધીનગરના સેક્ટર-4 માં બે વર્ષ પહેલા પૂરી કરાયેલ તળાવ ફરી ખોદીને ડેવલપમેન્ટ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. લગભગ 5 કરોડના ખર્ચે આ તળાવને નવેસરથી તૈયાર કરવામાં આવશે.


ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કોર્પોરેશનને તળાવને જીવંત કરવા પત્ર લખાયો હતો

બે વર્ષ પહેલા આ તળાવ કન્સ્ટ્રક્શન સાઇટનો કચરો નાખીને પૂરી દેવાયું હતું.જેના કારણે તેનો ઉપયોગ ન થઇ શક્યો હતો. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કોર્પોરેશનને તળાવને જીવંત અને ઉપયોગી બનાવવા પત્ર લખવામાં આવ્યો હતો, અને હવે ગાંધીનગર કોર્પોરેશને કાર્ય શરૂ કર્યું છે.

તળાવ 7,962 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે

તળાવ 7,962 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. વિકાસ હેઠળ તળાવ ફરતે વૉકિંગ માટે રસ્તા અને બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ કામગીરી અગાઉના 11 મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે.


આ પણ વાંચો-----    Kutch : ખાવડા નજીક મોડી રાત્રે 4.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, ખાવડાથી 55 કિમી દૂર ભૂકંપનું એપિ સેન્ટર

  • Follow us on: