રાજ્ય સરકાર જમીન વ્યવહારમાં ભ્રષ્ટાચારને અટકાવવા માટે પગલાં લેવા તૈયાર છે. રાજ્યમાં 135-ડી નોટિસનો જવાબ આપવા માટેની હાલની 30 દિવસની સમય મર્યાદાને ઘટાડીને માત્ર 10 થી 15 દિવસ કરવામાં આવી શકે છે.
પોસ્ટ મારફતે પક્ષકારોને નોટિસ પાઠવવામાં આવે છે
સૂત્રોના જણાવ્યા મુજબ, પોસ્ટ મારફતે પક્ષકારોને નોટિસ પાઠવવામાં આવે છે અને તેઓ આ સમયમર્યાદામાં પોતાની વાંધાઓ રજૂ કરી શકશે. ભ્રષ્ટાચાર ને પ્રોત્સાહન ન મળે તે માટે સમય મર્યાદા ઘટાડવા તૈયારી કરાઇ છે













