રાજ્ય સરકારની ઉદાસીનતા અને આળસના કારણે આદિજાતિ વિસ્તાર માટે ફાળવવામાં આવેલ ગ્રાન્ટનો ઉપયોગ જ ના થયો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
6,663.95 લાખ રૂપિયાની ગ્રાન્ટનો ઉપયોગ જ ના થયો
સરકારે વિધાનસભામાં આપેલી માહિતીના આધારે ખુલાસો થયો છે કે 6,663.95 લાખ રૂપિયાની ગ્રાન્ટનો ઉપયોગ જ ના થયો હોવાથી આ ગ્રાન્ટ વપરાયા વગર જ પડી રહી છે.













