ગુજરાતમાં જિલ્લાઓમાં વિકાસ કામો માટે અગાઉ સરકારે પ્રભારી સચિવોની નિમણૂક કરી હતી. આ સચિવો દ્વારા જિલ્લામાં થતાં વિકાસ કામોની સમીક્ષા કરવાની હતી. પરંતુ હાલમાં વહીવટી કારણો સર તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થતાં પ્રભારી સચિવોની બદલી અને બઢતીનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા 21 પ્રભાવી સચિવોની ફેરબદલીનો આદેશ આપ્યો છે.















