ગુજરાતના આરોગ્ય વિભાગે કુટુંબની વ્યાખ્યામાં ફેરફાર કર્યો છે. તબીબી સારવાર નિયમો 2022માં મહત્વનો ફેરફાર કર્યો છે. કર્મચારીના પરિવારમાં આશ્રિત ભાઈ બહેનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આશ્રિત માટે આવકની મર્યાદા 500 રૂપિયા રાખવામાં આવી છે. આવક મર્યાદા ઓછી હશે તો જ આ યોજનાનો લાભ મેળવી શકાશે. આ માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે એક પરિપત્ર કર્યો છે.


કર્મચારીના પરિવારમાં આશ્રિત ભાઈ-બહેનોનો સમાવેશ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 2015ના ઠરાવથી રાજ્ય તબીબી સારવાર નિયમો અમલમાં આવ્યા હતાં. આ નિયમો અંગે તબીબી સારવારનો ખર્ચ મંજૂર કરવાના કેસોમાં 2015ના ઠરાવમાં આપેલા નિયમોના નિયમ-2માં આપેલા કુંટુંબની વ્યાખ્યા અન્વયે અર્થઘટનના પ્રશ્નો ઉપસ્થિત થતા હતાં. જેના નિવારણ માટે ગુજરાત રાજ્ય સેવા તબીબી નિયમોમાં કુંટુંબની વ્યાખ્યામાં સુધારો કરવામાં આવ્યો છે.

આવક મર્યાદા ઓછી હશે તો જ મળશે લાભ

આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા ફેરફાર પ્રમાણે કુટુંબની વ્યાખ્યાને બદલે ગુજરાત મુલ્કી સેવા નિયમો 2002ના નિયમ-9માં આપવામાં આવેલી કુંટુંબની વ્યાખ્યા લાગુ પડશે. આરોગ્ય વિભાગના પરિપત્ર પ્રમાણે કુટુંબ એટલે યથા પ્રસંગ, સરકારી કર્મચારીની સાથે રહેતા પત્ની, બાળકો અને અન્ય આશ્રિતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિયમોમાં એક કરતાં વધારે પત્નીઓનો સમાવેશ થતો નથી. આશ્રિતની આવક ઓછી હશે તો તેને સારવારનો લાભ મળશે. આ માટે આશ્રિતની આવક 500 રૂપિયા નક્કી કરાઈ છે.

આ પણ વાંચોઃ Vadodara: ગાજરવાડી વિસ્તારમાં બોગસ તબીબનો પર્દાફાશ, ડિગ્રી વગર એલોપેથી દવાઓ સાથે ધવલ કવાડ ઝડપાયો


  • Follow us on: