ગુજરાતના શિક્ષણ વિભાગના એક નિર્ણયથી શિક્ષકોને કામગીરીમાં રાહત મળી છે. શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપી છે. રાજયના પ્રાથમિક શિક્ષણ નિયામકે પરિપત્ર કર્યો છે. જેમાં શિક્ષણ સિવાયની અન્ય કામગીરીમાં શિક્ષકોને નહીં જોડવા સૂચના આપવામાં આવી છે.


શિક્ષણ સિવાયની કામગીરીમાં નહીં જોડવા સૂચના

ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે એક પરિપત્ર કરીને સૂચના આપી છે કે, હવેથી પ્રાથમિક વિભાગના શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરી નહીં કરાવી શકાય. તેમણે શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરીમાં નહીં જોડવા સૂચના આપી છે. રાષ્ટ્રીય હિત સિવાયની કામગીરી હવેથી પ્રાથમિક શિક્ષકો પાસે નહીં કરવી શકાય.

સંમતિ વિના જ શિક્ષકોને કામગીરી સોંપાતી હતી

બાળકોના શિક્ષણ પર વિપરીત અસર ના પડે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારી અને શાસનાધિકારીને લેખિતમાં સૂચના આપવામાં આવી છે. અગાઉ શિક્ષકોએ બિન શૈક્ષણિક ફરજમાં ન જોડવા રજૂઆત કરી હતી. સંમતિ વિના જ શિક્ષકોને કામગીરી સોંપાતી હતી.


આ પણ વાંચોઃ Gujarat News: અકસ્માતો ઘટાડવા ટ્રાફિકનું સંચાલન જરૂરી, દંડનીય કાર્યવાહીથી અકસ્માતની ઘટનાઓ ઘટશે ખરી?


  • Follow us on: