ગુજરાતમાંથી ખાલી પડી રહેલી રાજ્યસભાની ચાર બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ગાંધીનગર ખાતે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ચારેય ઉમેદવારોએ આજે સત્તાવાર રીતે પોતાના નામાંકન પત્રો દાખલ કર્યા છે.
રાજુ શુકલા, મુકેશ રાઠવા, જીતેન્દ્ર કણજરિયા અને માનસિંહ પરમારે ફોર્મ ભર્યા
ભાજપ તરફથી મેદાનમાં ઉતરેલા ચાર મુખ્ય ચહેરાઓ- રાજુ શુકલા, મુકેશ રાઠવા, જીતેન્દ્ર કણજરિયા અને માનસિંહ પરમારે વિજયી મુહૂર્તમાં ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ફોર્મ રજૂ કર્યા હતા. ઉમેદવારી પત્ર ભરતી વખતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ, તેમજ મંત્રીમંડળના વરિષ્ઠ સભ્યો અને મોટી સંખ્યામાં ધારાસભ્યો ખાસ હાજર રહ્યા હતા. નેતાઓએ ચારેય ઉમેદવારોને નવી ઇનિંગ્સ માટે શુભકામનાઓ પાઠવી હતી.













