ગાંધીનગર ખાતે સરદાર પટેલ ગ્રુપ એટલે કે એસપીજી દ્વારા ચિંતન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના સામાજિક મુદ્દાઓ,યુવાનો તથા દીકરીઓના લગ્ન જેવા મુદ્દાઓ પર આ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પાટીદાર સમાજના આગેવાનોએ પોતાના મત રજૂ કર્યા હતાં. આ સભામાં આવનારા ભવિષ્યમાં સમાજ અને સમાજના યુવાનો માટે મંથન કરવા માટેનું આયોજન કરાયું હતું.
સમાજનું સંગઠન એવું મજબૂત બનાવો
આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના સિનિયર નેતા નીતિન પટેલે સમાજની રાજકીય અને સામાજિક બાબતો પર પણ પોતાની વાત મૂકતા કહ્યું હતું કે સરદાર પટેલ પાટીદાર સમાજ સંગઠન માટે જે લોકોને અંદરની ભાવના છે તેઓ સૌ આજે અહીં ઉપસ્થિત છે. બાકી મેચ અને એમાં પણ ફાઇનલ મેચ વચ્ચે આજે અહીં આટલી સંખ્યા થાય તે ચિંતાનો વિષય હતો. સરકારમાં વર્ષોથી કામ કર્યું છે અને કરવડાવ્યું છે. સામાન્ય વાત છે આપણી ઈચ્છા હોય કે આપણા સમાજના લોકો આ કામમા જોડાય.બીજા ખર્ચ કર્યા સિવાય આપણે શિક્ષણમા રૂપિયો વાપરીએ. આપણા છોકરા ભણીને આગળ જાય તો યાદ રાખશે અને એ પણ મદદ કરશે. મહેસાણા સાબરકાંઠાના લોકો વિદેશમાં જાય છે.













