જમ્મુ-કાશ્મીરના ડોડા વિસ્તારમાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા 10 જવાનો શહીદ થયાની દુઃખદ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ આકસ્મિક દુર્ઘટનામાં વીરગતિ પ્રાપ્ત કરનારા જવાનો પ્રત્યે રાષ્ટ્રીય સંત પૂજ્ય મોરારિબાપુએ ઉંડી સંવેદના અને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી છે. ત્રાસવાદ વિરોધી દળનું વાહન સર્ચ ઓપરેશન દરમિયાન કાબૂ ગુમાવતા 200 ફૂટ ઉંડી ખીણમાં પડ્યું હતું. બાપુએ આ ઘટનામાં શહીદ થયેલા પ્રત્યેક જવાનના પરિવારને રૂ. 25,000 લેખે કુલ રૂ. 2,50,000 ની સહાયતા રાશિ અર્પણ કરી છે, જે તેમના ટ્રસ્ટ દ્વારા આર્મી વેલફેર ફંડમાં જમા કરાવવામાં આવશે.

Vadodara: રૂપિયા 25 લાખના ખર્ચે તૈયાર થયેલ પંચાયત ઘર લોકાર્પણની રાહ જુએ છે












