સાબરમતી નદીમાંથી ખનીજચોરી અટકાવવા કામ કરતા સરકારી કર્મચારીઓ પર હુમલો કરનાર નિકુભા ગેંગના ચાર વિરૂધ્ધ ગુજસીટોકનો ગુનો એલસીબીએ નોંધી તમામની ધપકડ કરી છે


ચારેયને ઝડપી લેવામાં આવ્યા

સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાંથી ખનીજચોરી કરતા તત્વોને અટકાવવા માટે અવારનવાર ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સ્થળ તપાસ કરીને ખનીજચોરોનો ઝડપી લેવા માટે કાર્યવાહી કરતા હતા પ્રાંતિજ તાલુકાના નવાપુરા(સીતવાડા) ના નિકુભા ગેંગના ચાર શખ્સો સરકારી કર્મચારીઓ પર હૂમલો કરી ગંભીર પ્રકારના ગુના આચરતા તેમની વિરૂધ્ધ અગાઉ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરીયાદ બાદ તપાસને અંતે સાબરકાંઠા એલસીબીએ નિકુભા ગેંગના ચારેય શખ્સો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા માટે ગુજસીટોકની વિવિધ કલમો અંતર્ગત કાર્યવાહી કરીને ચારેયને ઝડપી લેવામાં આવ્યા હતા.

અધિકારીઓ સાથે ઝઘડો કરી મારામારી કરવાની તથા ખુનની કોશિશ

પ્રાંતિજ તાલુકાના નવાપુરા ગામના નરેન્દ્રસિંહ ઉર્ફે નિકુસિંહ જસવંતસિંહ રાઠોડ,ભવાનસિંહ અભેસિંહ રાઠોડ, દિગ્વિજયસિંહ કરણસિંહ રાઠોડ અને રણજીતસિંહ રતનસિંહ રાઠોડ ધ્વારા અવારનવાર ખનીજચોરી અટકાવવા માટે ખાણ -ખનીજ વિભાગના અધિકારીઓ સાથે ઝઘડો કરી મારામારી કરવાની તથા ખુનની કોશિશ સહિત અન્ય ગંભીર ગુના આચરવામાં આવતા હતા.

નિકુભા ગેંગના ચારેય શખ્સો વિરૂધ્ધ ગુજસીટોક ર૦૧પ હેઠળ ગુનો દાખલ

જે મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ચારેય વિરૂધ્ધ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે ત્યારે જિલ્લા પોલીસવડાએ સાબરમતી નદીમાંથી ખનીજચોરી કરતા તત્વો સામે સખ્તાઈથી કાર્યવાહી કરવા કરેલા આદેશ બાદ એલસીબીએ નિકુભા ગેંગના ચારેય શખ્સો વિરૂધ્ધ ગુજસીટોક ર૦૧પ હેઠળ ગુનો દાખલ કરીને તેમની અટકાયત કરી દેવામાં આવી હતી. જેને લઈ ખનીજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.


આ પણ વાંચો----  Gujarat Flashback 2025 : બોમ્બની ધમકીનો સિલસિલો અને પકડાઇ એવી ટેકનોક્રેટ મહિલા જેણે પ્રેમનો બદલો લેવા મચાવ્યો હતો હાહાકાર

  • Follow us on: