ભવનાથ મંદિર વિસ્તારમાં સાધુ-સંતો વચ્ચેનો વિવાદ ઉગ્ર બનતા ચકચાર મચી છે. ઇન્દ્રભારતી બાપુ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. અમરગિરી બાપુએ સમગ્ર મુદ્દે મોટું નિવેદન આપ્યું છે.


મૃગીકુંડ સ્નાન મુદ્દે વિવાદ

હવે મૃગીકુંડમાં ગૃહસ્થોને સ્નાનનો મંજૂરી બાબતે વિવાદ વકર્યો છે. અમરગિરી બાપુએ જણાવ્યું કે સાધુઓ વચ્ચેનો વિવાદ જરાય શોભનીય નથી. તેમણે જિલ્લા કલેક્ટરને તાત્કાલિક મહંતની નિમણૂક જાહેર કરવાની માગ કરી છે.

ગંભીર આક્ષેપો

અમરગિરી બાપુએ આશ્રમમાં નશાના વ્યવસાયનો આક્ષેપ કરીને દીકરીઓ સાથેના વર્તન અંગે રોષ પ્રગટ કર્યો હતો અને રમેશગીરીના ખૂન કેસમાં સંડોવણીની શંકા વ્યક્ત કરીને ભવનાથ પચાવી પાડવાના પ્રયત્નો કર્યા હોવાના આરોપ લગાવ્યા હતા

 સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગ

અમરગિરી બાપુએ દાવો કર્યો કે ભાજપને બદનામ કરવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. તેમણે ગુંડાતત્વો સામે સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. 


આ પણ વાંચો-----     Gandhinagar : રાજ્ય સરકાર હસ્તકના રસ્તાઓ, પુલો માટે મોટો નિર્ણય, જાહેર સંપત્તિની દેખરેખ માટે ખાસ પોર્ટલ શરૂ કરાશે

  • Follow us on: