જૂનાગઢમાં ખાખી મઢીના મહંત તથા મહામંડલેશ્વર સુખરામ દાસ બાપુને ધમકી આપવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. અજાણ્યા વ્યક્તિ દ્વારા મહંત પાસે ખંડણીની માંગ કરવામાં આવી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.


 પ્રવચનમાં જ્ઞાતિ વિરુદ્ધ બોલ્યા હોવાનું કહી ધમકી આપી

માહિતી અનુસાર, આરોપીએ મહંત સુખરામ દાસ બાપુના પ્રવચનમાં જ્ઞાતિ વિરુદ્ધ બોલ્યા હોવાનું કહી તેમની સામે ખોટી એટ્રોસિટી ફરિયાદ કરવાની ધમકી આપી હતી અને આ મામલે સમાધાન બદલ ખંડણી માંગવામાં આવી હતી.

મહંત સુખરામ દાસ બાપુએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

આ ઘટનાથી વ્યથિત થઈ મહંત સુખરામ દાસ બાપુએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે મામલાની ગંભીરતાથી તપાસ શરૂ કરી આરોપીને ઝડપી લીધો હોવાનું બાપુએ જણાવ્યું હતું.

મેંદરડામાં મે પોલીસ ફરિયાદ કરી છે

બાપુએ વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે 16 જાન્યુઆરીએ મને ધમકી ભર્યો ફોન આવ્યો હતો અને તમે પૈસા આપો નહીતર ખોટો કેસ કરી દઇશ તેમ જણાવ્યું હતું. હું કોઇ વિવાદાસ્પદ નિવેદનમ આપતો નથી. સંતો મહંતોને કેટલાક લોકો આ રીતે બ્લેમેઇલ કરે છે. તો બ્લેક મેઇલ કરનારા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી જોઇએ. આ મામલે મે ડીવાયએસપીને લેખીતમાં રજૂઆત કરી હતી જેથી પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ગોતીને ધરપકડ કરી છે. મેંદરડામાં મે પોલીસ ફરિયાદ કરી છે.


આ પણ વાંચો-----     Rajkotમાં બાળકીનું અપહરણ કરનાર ઝડપાયો, આરોપીએ બદ ઇરાદે બાળકીનું આપહરણ કર્યુ હતું

  • Follow us on: