ગીરની તળેટીમાં આવેલા જૂનાગઢમાં વન્યજીવ સંરક્ષણની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થાય તેવી વધુ એક ઘટના સામે આવી છે. છેલ્લા બે દિવસમાં આ ત્રીજો વીડિયો વાયરલ થયો છે, જેમાં વન્યપ્રાણીઓ જંગલ છોડીને માનવ વસાહતોમાં ભટકતા જોવા મળી રહ્યા છે.
કચરાના ઢગલામાં ભટકતું હરણ
નવા વાયરલ થયેલા વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, એક હરણ કચરાના ઢગલાની આસપાસ આંટાફેરા કરી રહ્યું છે અને ખોરાકની શોધમાં વ્યસ્ત છે. આ વીડિયો જૂનાગઢના પ્રખ્યાત ભવનાથ જંગલ વિસ્તારની નજીકનો હોવાનું માનવામાં આવે છે. જંગલના રહેવાસી એવા મૂક પ્રાણીને ખોરાક માટે કચરાના ઢગલા પર નિર્ભર રહેવું પડે, તે દ્રશ્ય સ્થાનિક લોકો અને પર્યાવરણપ્રેમીઓ માટે ચિંતાનો વિષય બન્યું છે.













