ખેડા-તારાપુર રોડ પર લીંબાસી નજીક આવેલા એક ખુલ્લા ખેતરમાં સવારે ગૌવંશના અવશેષો જોવા મળ્યા હતા. ખેતરમાં ગાયની પૂંછડી, ચામડાં, શિંગડા અને માથું સહિતના અવયવો વિખરાયેલી હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો અને ગૌભક્તો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.


ખેડૂત અને કસાઈઓ વચ્ચે સર્જાયા દ્રશ્યો

ખેતરમાં કામ કરવા આવેલા એક ખેડૂતે બે રિક્ષામાં 4 થી 5 શખ્સોને આ કૃત્ય કરતા રંગેહાથ જોયા હતા. ખેડૂતને જોઈને કસાઈઓ ત્યાંથી ભાગવા લાગ્યા હતા. હિંમત દાખવીને ખેડૂતે આ કસાઈઓનો આશરે અડધો કિલોમીટર સુધી પીછો કર્યો હતો, પરંતુ કસાઈઓએ ધારદાર હથિયારો બતાવીને ખેડૂતને ડરાવી દીધો હતો અને ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.

ગામની બે ગાયો ગુમ હતી

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ગઈકાલ રાતથી ગામની બે ગાયો ગુમ હતી, જેમના માલિકોએ પણ સ્થળ પર પહોંચીને અવશેષોના આધારે પુષ્ટિ કરી છે. આ ઘટનાને પગલે લીંબાસી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કસાઈઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: