કચ્છના ગાંધીધામમાં મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરીના વિરુદ્ધ લોકોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો.


આદિપુર વિસ્તારમાં 200 જેટલા મકાનો તોડવા માટે નોટિસ

આ વિરોધ દરમિયાન આદિપુર વિસ્તારમાં 200 જેટલા મકાનો તોડવા માટે નોટિસ આપવામાં આવી હતી, જેના પરિણામે સ્થાનિકો ગુસ્સે ભરાયા હતા.

મનપા કચેરીનો ઘેરાવ કર્યો

આજે કોર્પોરેશન કચેરી ખાતે હજારો લોકોએ એકત્ર થઇને વિરોધ નોંધાવ્યો હતો અને મનપા કચેરીનો ઘેરાવ કર્યો હતો. ઘેરાવ અને વિરોધના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મનપા કચેરી બહાર મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા..


આ પણ વાંચો----     Gandhinagar : મંત્રી મનિષા વકીલના અસ્પષ્ટ જવાબોથી કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા, પૂર્વ અધ્યક્ષે વકીલને ટોણો માર્યો, ગુજરાતીમાં જવાબ આપો


  • Follow us on: