પાટીદાર અનામત આંદોલન સમયે સક્રિય રહેલું સરદાર પટેલ ગ્રુપ (SPG) હવે સામાજિક મુદ્દાઓ પર મેદાને આવ્યું છે. મહેસાણામાં પાટીદાર સમાજનું એક વિશાળ સંમેલન યોજાયું હતું. જેમાં લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવા અને મૈત્રી કરાર રદ કરવાની પ્રબળ માંગણી કરવામાં આવી છે. આ મુદ્દે એસપીજીના લાલજી પટેલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, કાયદામાં સુધારો નહીં થાય તો પાટીદાર અનામત આંદોલન કર્યું તેવું આંદોલન કરીશું.


કાયદામાં તાત્કાલિક સુધારો કરવા માટે SPGની માંગ

SPG રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું હતું કે, લગ્ન નોંધણીના કાયદામાં સુધારો નહીં આવે તો પાટીદાર અનામત આંદોલન કર્યું તેવું આંદોલન કરીશું. આપણી દીકરી મોબાઈલથી બગડે છે. માતા પિતાને દીકરીના મોબાઈલના પાસવર્ડ ખબર હોવા જોઈએ. મહેસાણામાં યોજાયેલા પાટીદાર સમાજના વિશાળ સંમેલનમાં લગ્ન નોંધણી અને મૈત્રી કરારના કાયદામાં સુધારા કરવા માગ કરાઈ છે. આ સાથે જ વિધાનસભાના ઘેરાવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

સરકારના આ વાયદા હવે માત્ર લોલીપોપ સમાન લાગે છે

લાંબા સમયથી SPG દ્વારા પ્રેમ લગ્ન અને મૈત્રી કરારના કાયદામાં સુધારા માટે લડત ચલાવવામાં આવી રહી છે. સંમેલન દરમિયાન SPGના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, સરકારે અનેકવાર જાહેર મંચ પરથી આશ્વાસન આપ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર અમલ થયો નથી. સરકારના આ વાયદા હવે માત્ર લોલીપોપ સમાન લાગે છે.જો આગામી સમયમાં કાયદામાં તાત્કાલિક સુધારો કરવામાં નહીં આવે, તો માત્ર પાટીદાર સમાજ જ નહીં પરંતુ તમામ સમાજોને સાથે રાખીને ગાંધીનગર કૂચ કરવામાં આવશે.


આ પણ વાંચોઃ Dwarka: કુદરતી આપત્તિ સામે પૂર્વતૈયારીના ભાગરૂપે દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં 'મોકડ્રીલ' યોજાઈ


  • Follow us on: