પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની મોરવા ગ્રામ પંચાયતમાં ચાલી રહેલો આંતરિક વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે.મોરવા ગ્રામ પંચાયતના 5 સભ્યો દ્વારા સામૂહિક રાજીનામા અપાતા સ્થાનિક રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે.આ સંવેદનશીલ અને મહત્વના મામલે આજે શહેરા તાલુકા પંચાયત ખાતે એક હાઈવોલ્ટેજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.


અવિશ્વાસની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી

મળતી વિગતો અનુસાર, રાજીનામું આપનાર અને ન આપનાર તમામ સભ્યો સહિત ગ્રામ પંચાયતના સરપંચને તાલુકા પંચાયત કચેરી ખાતે રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન અધિકારીઓ દ્વારા તમામ પક્ષોની રજૂઆતો અને દલીલો ખૂબ જ વિગતવાર સાંભળવામાં આવી હતી.આ વિવાદમાં એક નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે રાજીનામું આપનાર સભ્યો દ્વારા સરપંચ સામે લેખિતમાં અવિશ્વાસની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી હતી.સભ્યોનો આક્ષેપ છે કે પંચાયતના વિકાસ કામોમાં તેમનો વિશ્વાસ લેવામાં આવતો નથી.

રાજીનામું આપનાર 5 સભ્યો વ્યક્તિગત રીતે હાજર રહ્યા

આ મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન મોરવા ગ્રામ પંચાયતના સરપંચ અને રાજીનામું આપનાર 5 સભ્યો વ્યક્તિગત રીતે હાજર રહ્યા હતા.જ્યારે અન્ય 2 સભ્યો અકબંધ કારણોસર ગેરહાજર રહ્યા હતા.તાલુકા પંચાયતના સત્તાધીશોના જણાવ્યા અનુસાર,આ સમગ્ર મામલાની કાયદેસરની કાર્યવાહી અને તપાસ પૂર્ણ કરી લેવામાં આવી છે. હવે આ સુનાવણીનો વિગતવાર અને સત્તાવાર અહેવાલ આગળની આખરી કાર્યવાહી માટે જિલ્લા વિકાસ અધિકારી (DDO)ને મોકલી આપવામાં આવશે.જેના આધારે આગામી દિવસોમાં મોરવા ગ્રામ પંચાયતના ભવિષ્ય અંગે મોટો નિર્ણય લેવાઈ શકે છે.

આ પણ વાંચોઃ Kalol : પિયજ કેનાલમાં દુપટ્ટો બાંધેલી હાલતમાં અમદાવાદની માતા,પુત્રી અને દોઢ વર્ષની બાળકીનો મૃતદેહ મળતા ચકચાર



  • Follow us on: