પંચમહાલ જિલ્લાના શિક્ષણ જગતને હચમચાવી દેતું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. 'સમગ્ર શિક્ષણ' અભિયાન અંતર્ગત સાધનોની ખરીદીમાં કરોડો રૂપિયાની ઉચાપત થઈ હોવાનો પર્દાફાશ થયો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની તપાસમાં આ કૌભાંડ બહાર આવતાની સાથે જ જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
માત્ર કાગળ પર ખરીદી, કરોડોના બિલ પાસ
વર્ષ 2024-25 અને 2025-26 દરમિયાન આચરાયેલા આ કૌભાંડમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તત્કાલીન હિસાબી અધિકારી પૂજન જોષી અને નીતિન પટેલના સમયગાળા દરમિયાન, સ્માર્ટ પેનલ, લેપટોપ અને એન્ટી-વાયરસ જેવી ચીજવસ્તુઓની ખરીદી કરવામાં આવી હોવાનું બતાવવામાં આવ્યું હતું. જોકે, વાસ્તવમાં કોઈ ખરીદી થઈ જ નહોતી. બનાવટી દસ્તાવેજો ઊભા કરી માત્ર કાગળ પર ખરીદી બતાવી ₹2.79 કરોડ ચાઉં કરી જવામાં આવ્યા હતા.













