પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ધોળા દિવસે લુખ્ખા તત્વોનો આતંક જોવા મળ્યો હતો. અસામાજિક તત્વોએ ગોધરાની સહજાનંદ સોસાયટીમાં આતંક મચાવતાં લોકોમાં ભય ફેલાઇ ગયો હતો.


સહજાનંદ સોસાયટીની બાનમાં લીધી

મળેલી માહિતી પ્રમાણે બાઈકો પર આવેલા 10 થી વધુ અજાણ્યા ઈસમોએ સહજાનંદ સોસાયટીની બાનમાં લીધી હતી.

પરિજનોને માર્યો માર માર્યો

આ શખ્સોએ સહજાનંદ સોસાયટીમાં આવેલ રહેણાંક મકાનમાં તોડફોડ કરી પરિજનોને માર્યો માર માર્યો હતો.

સરસામાન સહિત 2 બાઇકોની તોડફોડ કરી

 અસામાજિક તત્વોએ રહેણાંક મકાનમાં રહેલ તમામ સરસામાન સહિત 2 બાઇકોની તોડફોડ કરી હતી અને કાછિયા પટેલ પરિવારના 4 વ્યક્તિઓને માર માર્યો હતો જેથી તેમને ઇજા પહોંચી હતી.

પોલીસ તપાસ શરુ

સમગ્ર મામલાની જાણ થતાં પોલીસે તપાસ શરુ કરી હતી. બીજી તરફ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા.


આ પણ વાંચો----    Ahmedabad ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ચર્ચાસ્પદ ધમકીભર્યા મેઈલ કેસમાં આરોપીને પશ્ચિમ બંગાળથી દબોચી લેવામાં આવ્યો


  • Follow us on: