રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાંથી એક અત્યંત કરૂણ સમાચાર સામે આવ્યા છે. જસદણથી આશરે 4 કિલોમીટર દૂર બાખલવડ પાસે આવેલા આલણ સાગર તળાવમાં નહાવા પડેલા ચાર કિશોરો ડૂબ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક તરવૈયાઓ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ છે અને ઊંડા પાણીમાં શોધખોળ શરૂ કરી છે.
તળાવની પાળ પરથી મળ્યા કપડાં અને સાયકલ
ઘટનાની મળતી માહિતી અનુસાર, સામાન્ય પરિવારના ચાર બાળકો બપોરના સમયે તળાવે ન્હાવા માટે ગયા હતા. મોડી સાંજ સુધી બાળકો ઘરે પરત ન ફરતા પરિવારે શોધખોળ આદરી હતી. તપાસ દરમિયાન તળાવની પાળ પરથી બાળકોની સાયકલ અને કપડાં મળી આવ્યા હતા, જેના પરથી બાળકો પાણીમાં ડૂબ્યા હોવાની પ્રબળ આશંકા સાથે તંત્રને જાણ કરવામાં આવી હતી.













