રાજકોટ જિલ્લાનું જેતપુર શહેર હાલમાં શ્વાનના આતંકથી થરથરી રહ્યું છે. જેતપુર શહેર અને પંથકમાં રખડતા શ્વાન એટલા હિંસક બન્યા છે કે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી કોઈ સુરક્ષિત નથી. સરકારી હોસ્પિટલના આંકડા જ ભયાનક વાસ્તવિકતા રજૂ કરે છે.
ત્રણ મહિનામાં 1200 શ્વાન કરડવાના કેસ નોંધાયા
છેલ્લા એક મહિનામાં 450 અને ત્રણ મહિનામાં 1200 જેટલા શ્વાન કરડવાના કેસ નોંધાયા છે. આ તો માત્ર સરકારી ચોપડે નોંધાયેલા આંકડા છે, ખાનગી હોસ્પિટલ અને ઘરગથ્થુ ઉપચાર કરાવનારાઓની સંખ્યા ગણતા આ આંકડો ક્યાંય વધારે હોઈ શકે છે.













