રાજકોટ શહેરના છેવાડે આવેલા બેડી ગામે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસે આજે એક કડક દાખલો બેસાડ્યો છે. ખાણીપીણીના નિર્દોષ ધંધાર્થીઓ પર હુમલો કરી આતંક ફેલાવનારા કુખ્યાત શખ્સોની ધરપકડ કરી પોલીસે આજે ઘટનાસ્થળે તેમનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.
નાના વેપારીઓ સાથે માથાકૂટ કરવામાં આવી
મળતી માહિતી પ્રમાણે થોડા દિવસો પહેલા રાજકોટના બેડી ગામે ખાણીપીણીની લારી અને દુકાન ધરાવતા નાના વેપારીઓ સાથે માથાકૂટ કરવામાં આવી હતી. કુખ્યાત શખ્સ ભુપત ભરવાડના ભત્રીજા અને તેના સાથીઓએ આ વિસ્તારમાં દાદાગીરી કરી વેપારીઓને બેફામ માર માર્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિકો અને નાના ધંધાર્થીઓમાં ભારે આવા ગુંડાઓને લઇને ભારે રોષ જોવા મળ્યો હતો.












