સૌરાષ્ટ્રથી મુંબઈ તરફ મુસાફરી કરતા હજારો મુસાફરો માટે રેલવે તંત્ર દ્વારા એક રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. મુસાફરોની સતત વધતી ભીડ અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ આગામી 26મી જાન્યુઆરીથી એક નવી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
વેરાવળ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે ટ્રેન દોડાવાશે
આ નવી ટ્રેન સેવા ખાસ કરીને વેરાવળ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે દોડાવવામાં આવશે. રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, આ સ્પેશિયલ ટ્રેન 26 જાન્યુઆરીથી શરૂ થઈને 23 ફેબ્રુઆરી સુધી કાર્યરત રહેશે. આ સમયગાળા દરમિયાન, ટ્રેન દર સોમવારે સવારે 11:05 કલાકે વેરાવળ સ્ટેશનથી ઉપડશે અને મુંબઈ (બાંદ્રા) તરફ રવાના થશે.












