રાજકોટ શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક ધોળા દિવસે બનેલી યુવાનની ઘાતકી હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. આ મામલે એસીપી (ACP) દ્વારા સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું છે, જેમાં હત્યા પાછળનું કારણ અને ઘટનાક્રમની વિગતો સ્પષ્ટ કરવામાં આવી છે.
હત્યારા મહેશ જેઠવાએ નિલેશ પર છરી ઝીંકી
એસીપીના જણાવ્યા અનુસાર, આજે બપોરે અંદાજે 4 વાગ્યાની આસપાસ સ્પીડવેલ કણકોટ રોડ પર આ હિંસક ઘટના બની હતી. આરોપી મહેશ જેઠવાએ જાહેરમાં નિલેશ ટોકિયો નામના યુવક પર તીક્ષ્ણ છરી વડે આડેધડ હુમલો કર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, હત્યારાએ નિલેશ પર 6 થી 7 જેટલા છરીના ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હાજર રહેલા અન્ય લોકોએ હત્યારાને અટકાવવાનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો હતો.













