રાજકોટ શહેરમાં ખાણી-પીણીની શુદ્ધતાને જાળવી રાખવા માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ખાસ કરીને લોકોમાં અત્યંત લોકપ્રિય એવી પાણીપુરીના વેચાણ પર તંત્રએ સપાટો બોલાવ્યો છે. તાજેતરમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીપુરીના કુલ 35 જેટલા ધંધાર્થીઓને ત્યાં ઓચિંતા ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું.
મસાલા અને પાણીની ગુણવત્તાની ઝીણવટભરી કરાઇ તપાસ
મળતી માહિતી પ્રમાણે આ તપાસ દરમિયાન આરોગ્ય અધિકારીઓએ માત્ર સ્વચ્છતા જ નહીં, પરંતુ પાણીપુરીમાં વપરાતા મસાલા અને પાણીની ગુણવત્તાની પણ ઝીણવટભરી તપાસ કરી હતી. ખાસ કરીને મીઠું, તીખું, જીરૂં અને લસણ વાળા પાણીના નમૂના લેવામાં આવ્યા હતા.આ નમૂનાઓને તપાસ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જો આ નમૂનાઓમાં કોઇ હાનિકારણ તત્વો અથવા અખાદ્ય રંગોની હાજરી જણાશે, તો સંબંધિત ધંધાર્થીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.












