સ્માર્ટ સિટી રાજકોટમાં હાલ ઠંડીનો પારો ગગડી રહ્યો છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીકાપની જાહેરાત કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 17 જાન્યુઆરીના રોજ રાજકોટ શહેરના પોપટપરા અને રેલનગર વિસ્તારમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે, જેને કારણે હજારો પરિવારોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે.


શા માટે રાખવામાં આવ્યો પાણીકાપ?

રાજકોટ મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, પાણી પુરવઠો પૂરો પાડતી મુખ્ય પાઈપલાઈનમાં રિપેરિંગની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. લાઈન રિપેરિંગની કામગીરીને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા આ આયોજનબદ્ધ પાણીકાપ જાહેર કરવામાં આવ્યો છે. જોકે, ભર શિયાળે આ રીતે અચાનક પાણીકાપ આવતા ગૃહિણીઓનું બજેટ અને દિનચર્યા ખોરવાઈ જવાની ભીતિ છે.

કયા વિસ્તારોને અસર થશે?

આ પાણીકાપ મુખ્યત્વે વોર્ડના પોપટપરા અને રેલનગર વિસ્તારમાં લાગુ પડશે. તંત્રના જણાવ્યા મુજબ, આ વિસ્તારોની 50થી વધુ સોસાયટીઓમાં 17 જાન્યુઆરીના રોજ નળમાં પાણી આવશે નહીં. રેલનગર જેવા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં પાણીકાપને કારણે લોકોએ પાણીનો સંગ્રહ કરવા દોડધામ શરૂ કરી દીધી છે. તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે, નાગરિકો ઉપલબ્ધ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરે જેથી રિપેરિંગ કામ દરમિયાન કોઈ મોટી અગવડ ન પડે. રિપેરિંગ કામ પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ પાણી પુરવઠો ફરી શરૂ કરવામાં આવશે.


આ પણ વાંચો - Rajkot News : ખેડૂતો માટે મોટા સમાચાર, ભાદર-2 ડેમના દરવાજા ખુલશે, રવિ પાકને મળશે જીવનદાન


  • Follow us on: