હાલ રાજ્યમાં આત્મહત્યા કરવાના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. આવામાં સુરત શહેરમાં વધુ એક આત્મહત્યાના સમાચાર સામે આવ્યા છે. સુરત શહેરમાં આવેલા રાંદેર વિસ્તારમાં એક નર્સે આત્મહત્યા કરી લેતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
ગાયનેક નર્સે આત્મહત્યા કરી લીધી
ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત શહેરના રાંદેર વિસ્તારમાં એક ગાયનેક નર્સે આત્મહત્યા કરી લીધી છે. આ ગાયનેક નર્સ જનની ગાયનેક હોસ્પિટલમાં ફરજ બજાવતી હતી. આ નર્સનું નામ અમિષા શર્મા છે. જેણે ફોર્મલીન કેમિકલ પીને પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી. નર્સે આત્મહત્યા કેમ કરી એ પાછળનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.













