સુરતથી બેંગકોક જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં ટેકનિકલ કે અન્ય કારણોસર વિલંબ થતા પેસેન્જરો રઝળી પડ્યા હતા. નિર્ધારિત સમય મુજબ, ફ્લાઇટ સવારે 9:00 વાગ્યે રવાના થવાની હતી. આ માટે મુસાફરો વહેલી સવારથી જ એરપોર્ટ પર પહોંચી ગયા હતા અને તમામ ચેક-ઇન પ્રક્રિયા પૂર્ણ કરી લીધી હતી. જોકે, કલાકો વીતવા છતાં ફ્લાઇટના કોઈ ઠેકાણા નહોતા.


સાંજ સુધી ફ્લાઇટ ન આવતા આક્રોશ

સવારના 9 વાગ્યાની ફ્લાઇટ બપોરના 4 વાગ્યા સુધી પણ એરપોર્ટ પર ન પહોંચતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. પેસેન્જરોનો આરોપ છે કે એરલાઇન્સ દ્વારા તેમને પૂરતી માહિતી આપવામાં આવી નહોતી કે ન તો ભોજન-પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. નાના બાળકો અને વૃદ્ધો સાથે મુસાફરી કરી રહેલા લોકોની હાલત વધુ કફોડી બની હતી.

એરપોર્ટ સત્તાધીશો સામે સવાલો

સમયસર ઉડાન ન ભરાતા રોષે ભરાયેલા મુસાફરોએ એરપોર્ટ ટર્મિનલની અંદર જ હંગામો શરૂ કર્યો હતો. એરલાઇન્સના સ્ટાફ સાથે મુસાફરોની ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા. સુરત એરપોર્ટ પર ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી વધી રહી છે, ત્યારે વારંવાર ફ્લાઇટ મોડી પડવાની ઘટનાઓ સુરતની છબી ખરડી રહી હોવાની ચર્ચા પણ મુસાફરોમાં જોવા મળી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: