સુરત જિલ્લાના અરેઠ તાલુકાના તડકેશ્વર ગામમાં પાણીની ટાંકી ધરાશાયી થવાના મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ જવાબદાર કોન્ટ્રાક્ટરો અને એન્જિનીયરો સહિત 8 આરોપીની પોલીસ દ્વારા ઝડપી લેવાયા છે. હવે સમગ્ર મામલાની ઉંડી તપાસ શરુ કરાઇ છે.


આરોપીઓને આજે માંડવી કોર્ટમાં રજુ કરવામાં આવશે

પોલીસ દ્વારા ઝડપાયેલા આઠ આરોપીઓને આજે માંડવી કોર્ટમાં રજુ કરવામાં આવશે અને પોલીસ તમામના રિમાન્ડ માટે અરજી કરશે.

 સંબંધિત અધિકારીઓની ભૂમિકા અંગે પણ તપાસ

મામલાની તપાસમાં માંડવી ડીવાયએસપી આગળ વધી રહ્યા છે અને અન્ય સંબંધિત અધિકારીઓની ભૂમિકા અંગે પણ તપાસ ચાલુ છે.

આ આરોપીઓની થશે પૂછપરછ

ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાં કંપની માલિક બાબુ અંબાલાલ પટેલ, જસ્મીન બાબુ પટેલ તેમજ કાર્યપાલક ઈજનેર અંકિત ગરાસિયા અને નાયબ કાર્યપાલક ઈજનેર અંકિત ચૌધરીનો સમાવેશ છે..


આ પણ વાંચો----   Surendranagar : થાનગઢમાં મધરાત્રિએ તંત્રનો સપાટો, સરકારી જમીન પર કરાયેલા 260 ગેરકાયદે દબાણો તોડી પડાયા, 210 કરોડની સરકારી જમીન દબાણમુક્ત


  • Follow us on: