સુરત શહેરમાં ડીંડોલી બાદ ભેસ્તાન વિસ્તારમાં પણ ગેરકાયદેસર પાણીનું વેચાણ કરનારા માફિયાઓ સામે સ્થાનિકોએ મોરચો ખોલ્યો છે. મંગલમૂર્તિ સોસાયટી નજીક મોટા પ્રમાણમાં પાણીનો ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યો છે.
ગેરકાયદેસર બોરિંગ બનાવી લાખો લીટર પાણી લેવામાં આવે છે
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગેરકાયદેસર બોરિંગ બનાવી લાખો લીટર પાણી લેવામાં આવે છે અને તે પછી પાણીનો સપ્લાય મિલોમાં પહોંચાડવામાં આવે છે.













