સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરમાં આરોગ્ય અને ખાણીપીણીના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે છેલ્લા એક અઠવાડિયામાં ઉંડી તપાસ ચલાવી હતી.


 1210 સ્થળોની તપાસ કરી

આરોગ્ય વિભાગે કુલ 1210 સ્થળોની તપાસ કરી હતી, જેમાં ખાસ કરીને પાણીપૂરી અને સ્ટ્રીટ ફૂડ વેચનારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

1400 કિલો કરતા વધુ અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો

તપાસમાં 1400 કિલો કરતા વધુ અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે. આ સાથે, 73 સંસ્થાઓને નોટિસ આપવામાં આવી છે .

10 સંસ્થાઓને કાયમી માટે બંધ કરવામાં આવી

મહાનગરપાલિકાની કાર્યવાહીમાં 10 સંસ્થાઓને કાયમી માટે બંધ કરવામાં આવી છે. આ સાથે જ આરોગ્ય નિયમોનું ઉલ્લંઘન કરનાર સંસ્થાઓ પર કુલ રૂ. 2,61,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી

સુરત મહાનગરપાલિકા દ્વારા આ કાર્યવાહી ફૂડ હાઇજિન અને આરોગ્ય નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી છે, જેથી શહેરવાસીઓને સ્વચ્છ અને સુરક્ષિત ખાદ્યપદાર્થ ઉપલબ્ધ થાય.


આ પણ વાંચો-----    Ahmedabad : ગાંધીઆશ્રમનું પુનઃનિર્માણ, 1200 કરોડના ખર્ચે વિશ્વસ્તરીય સ્મારક બનશે, સાદગી-અધિકૃત સ્થાપત્યોને જાળવીને જીર્ણોદ્ધાર કરાશે

  • Follow us on: