સુરતના સચિન SEZમાં મોડી રાત્રે ભેદી સંજોગોમાં ભાગેડુ નીરવ મોદીની ફાયર સ્ટાર કંપનીમાં ભેદી રીતે આગ લાગી હતી. આગની માહિતી મળતા ફાયર બ્રિગેડ પહોંચ્યું હતું અને તુરંત કાબુમાં લેવામાં આવી.


ઇડીએ સીલ કરેલી બંધ કંપનીમાં લાગી આગ

આગ હાલ ઇડીએ સીલ કરેલી બંધ કંપનીમાં લાગી હતી, જ્યાં અગાઉથી દસ્તાવેજો અને બિઝનેસ રેકોર્ડ્સ પડેલા હતા. આગ લાગવાનો ઉદ્દેશ ભેદી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં પુરાવા નષ્ટ કરવાનો સંકેત જોવા મળ્યો છે.

બંધ કંપનીમાં દસ્તાવેજોના ઢગલામાં જ ભેદી રીતે આગ લાગી

ઘટનાના પગલે પોલીસે તપાસ શરુ કરી છે. બંધ કંપનીમાં દસ્તાવેજોના ઢગલામાં જ ભેદી રીતે આગ લાગી હતી જે શંકા પ્રેરે તેમ છે તેથી મામલાને ગંભીરતાથી લઇને તપાસ શરુ કરાઇ છે.


આ પણ વાંચો----  PM Modi in Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે, આવતીકાલે સોમનાથમાં શૌર્ય યાત્રામાં ભાગ લેશે

  • Follow us on: