વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે આવી રહ્યા છે. આજે બપોરે તેઓ રાજકોટના હીરાસર એરપોર્ટ પર આગમન કરશે. એરપોર્ટ પરથી સીધા જ વડાપ્રધાન સોમનાથ જવા રવાના થશે.


રાત્રે 8 વાગ્યે સોમનાથમાં ઓમકાર મંત્ર જાપમાં ભાગ લેશે

સોમનાથ પહોંચ્યા બાદ વડાપ્રધાન રાત્રિ રોકાણ કરશે. રાત્રે 8 વાગ્યે સોમનાથમાં ઓમકાર મંત્ર જાપમાં ભાગ લેશે ત્યારબાદ રવિવારે સવારે તેઓ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં યોજાનારા સ્વાભિમાન પર્વ અને શૌર્ય યાત્રામાં હાજરી આપશે. આ કાર્યક્રમ દ્વારા સંસ્કૃતિ, આસ્થા અને રાષ્ટ્રીય ગૌરવનો સંદેશ આપવામાં આવશે.

 રાજકોટમાં સૌરાષ્ટ્ર–કચ્છ વાઇબ્રન્ટ સમિટનું તેઓ ઉદ્ઘાટન કરશે

સોમનાથનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન ફરી રાજકોટ પરત ફરશે. રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાનારી સૌરાષ્ટ્ર–કચ્છ વાઇબ્રન્ટ સમિટનું તેઓ ઉદ્ઘાટન કરશે. વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં રેકોર્ડ બ્રેક રોકાણ માટેના અનેક એમઓયુ કરવામાં આવશે.

સૌરાષ્ટ્રમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી

વાઇબ્રન્ટ સમિટના કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટથી અમદાવાદ પરત ફરશે. વડાપ્રધાનના પ્રવાસને લઈ સમગ્ર સૌરાષ્ટ્રમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


આ પણ વાંચો----  Rajkot News : રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની આજથી શરૂઆત, 135 પતંગબાજો લેશે ભાગ

  • Follow us on: