સુરતમાં એક વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ વિદ્યાર્થિની ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી.


આ વિદ્યાર્થિની ઘણા સમયથી હતાશ રહેતી હતી, તેવો દાવો પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે. આ મામલે પરિવાર દ્વારા ટ્યુશન ક્લાસ સંચાલક પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. જે બાદ હવે પોલીસ ટ્યુશન ક્લાસ સંચાલકની પૂછપરછ કરશે.




ટ્યુશન ક્લાસીસ સંચાલકની પૂછપરછ કરશે પોલીસ

ડીંડોલી વિસ્તારમાં 18 વર્ષીય વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લેતા શિક્ષણ બેડામાં ચકચાર મચી જવા પામી છે. આજે સવારે વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.

આ વિદ્યાર્થિની ડિંડોલીના મહાદેવ નગર ખાતે રહેતી હતી. આ મામલે પોલીસ દ્વારા પરિવારનું નિવેદન લેવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થિનીના પરિવારે ટ્યુશન ક્લાસિસ સંચાલક પર ગંભીર આક્ષેપ કર્યો છે. પોલીસ દ્વારા તેના આધરે ટ્યુશન ક્લાસીસ સંચાલકની પણ પૂછપરછ કરવામાં આવશે.


આ પણ વાંચો - Surat માં BMW અને BE-6 વચ્ચેની જીવલેણ રેસના CCTV આવ્યા સામે, પોલીસ કારચાલકના ઘરે પહોંચી...


  • Follow us on: