સુરતમાં આજે પ્રજાસત્તાક પર્વ પર યુવાધનને નશાની ટેવમાંથી બહાર લાવવા માટે Say No to Drugsની થીમ પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 12 વર્ષથી સુરતમાં 26મી જાન્યુઆરીના દિવસે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આજે આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ડ્રગ્સ વેચનાર અને તેનું દૂષણ ફેલાવનાર લોકોના શું હાલ થાય છે તે હવે તમને ખબર પડશે.


નશાના રવાડે ચઢેલા લોકોને સુરત પોલીસ સુધારે છે

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કાર્યક્રમમાં કહ્યું હતું કે, ડ્રગ્સના દૂષણમાં ફસાયેલા લોકોનું કાઉન્સેલિંગ કરો. તમે દર મહિને એક કોલેજ કે એક યુનિવર્સિટીમાં જાઓ. સુરત પોલીસ નશાના રવાડે ચઢેલાને બચાવે છે. સુરતીઓ મોટા દિલ વાળા લોકો છે. આપણી અંદરની શક્તિનો ઉપયોગ કરો. આપણે માત્ર 26 મી જાન્યુઆરીએ આ કાર્યક્રમ પૂર્ણ કરીને આપણે જવાબદારીમાંથી હાથ ઊંચા નથી કરવાના. તમે અનેક યુવાનોને બચાવ્યા છે અને તમારી શક્તિ ખૂબ મોટી છે. હું સુરત પોલીસને અભિનંદન આપું છું. નશાના રવાડે ચઢેલા લોકોને સુરત પોલીસ સુધારે છે અને તેમની સામે કેસ કરવામાં નથી આવતો.

દર મહિને તમે 10થી 20 મિનિટ આપો

હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, દર મહિને તમે 10થી 20 મિનિટ આ કામમાં આપો એટલે અમારી લડાઈ વધુ મજબૂત થશે. ડ્રગ્સ વેચનાર અને તેનું દૂષણ ફેલાવનારની શું હાલત થાય છે તે હવે તમને ખબર પડશે. આ રાજ્યમાં કોઈ વ્યક્તિનો ફોટો ગૃહમંત્રી સાથે હોય તો તેને પણ પકડવામાં આવે છે. તેનું મોટામાં મોટું ઉદાહરણ ગુજરાત પોલીસે આપ્યું છે. દરરોજ કોસવાના બદલે આપણી અંદર શું શક્તિ છે તે શક્તિનો ઉપયોગ કરીને એક પગલું આગળ ભરો અને પછી જુઓ કેવી રીતે આપણું નવું ભારત આગળ વધે છે.


આ પણ વાંચોઃ Kolkata ના નઝીરાબાદમાં લાગી ભીષણ આગ, 5થી વધુના મોત, અનેક લોકો ફસાયા


  • Follow us on: