સુરતના પાલ વિસ્તારમાં પત્ની સાથેના ઝઘડા અને કૌટુંબિક કંકાસના અંતે એક યુવકે પોતાની જાતે સળગી જઈને જીવન ટૂંકાવ્યું છે. મૃતક સંતોષે ગઈકાલે બપોરે જ્વલનશીલ પ્રવાહી છાંટી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેનું આજે સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પત્ની આશાબેને પતિ સંતોષ વિરુદ્ધ અગાઉ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં માનસિક ત્રાસ અને મારપીટની અરજી આપી હતી.
પત્ની આશાએ પતિ સંતોષ વિરુદ્ધ અરજી આપી હતી
ગત 31 જાન્યુઆરીના રોજ સંતોષે પત્ની પાસે રૂ.7,000ની માંગણી કરી હતી. પત્નીએ પૈસા આપવાની ના પાડતા સંતોષે ઉશ્કેરાઈને પત્ની અને તેની બંને દીકરીઓને ઢોર માર માર્યો હતો. પતિના સતત ત્રાસ અને હિંસાથી કંટાળીને પત્ની આશાબેન પાલ વિસ્તારમાં રહેતા પોતાના ભાઈના ઘરે રહેવા જતી રહી હતી. ગઈકાલે બપોરે સંતોષ પત્નીના ભાઈના ઘરે પહોંચ્યો હતો.













