સુરતના ઉધનામાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. વિજયનગર વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી, જેને જોઈને આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. બનાવની જાણ થતા તરત જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી છે.
આગ શોર્ટ સર્કિટના કારણે ફાટી નીકળી હોવાનું અનુમાન
ફાયર જવાનોએ સુરક્ષા કવચ પહેરી મકાનમાં પ્રવેશ કર્યો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો છે. આગ શોર્ટ સર્કિટના કારણે ફાટી નીકળી હોવાનું અનુમાન છે. ઘટનાની ગંભીરતા એ હતી કે મકાનમાં ગેસ સિલિન્ડર પણ હતો, જેને લઈને વધુ જોખમ સર્જાઈ શકે તેવી સ્થિતિ હતી. આગના સમયે આસારમાભાઈ નામના એક વ્યક્તિએ જીવના જોખમે ગેસ સિલિન્ડરને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો.













