સુરત શહેરની સચિન પોલીસે શ્રીનાથ જ્વેલર્સ લૂંટ અને હત્યાના મામલે વધુ એક આરોપી પકડ્યો છે. પોલીસ દ્વારા આ આરોપી પીન્ટુ પાસવાનને બિહારથી ઝડપી પાડવામાં આવ્યો છે.


શ્રીનાથ જ્વેલર્સની મોડી સાંજે લૂંટ કરી જ્વેલર્સની ગોળી મારી હત્યા કરી દીધી

આ બનાવમાં અગાઉ ત્રણ અન્ય આરોપીઓને પણ પોલીસે ઝડપી પાડી જેલ ખસેડ્યા હતા. પોલીસે જણાવ્યું કે, પકડાયલા તમામ આરોપીઓએ ગત 7 જુલાઈ 2025ના રોજ સચિન રેલવે સ્ટેશન નજીક આવેલી શ્રીનાથ જ્વેલર્સની મોડી સાંજે લૂંટ કરી હતી અને આ દરમિયાન જ્વેલર્સની ગોળી મારી હત્યા કરી દીધી હતી.

પીન્ટુ પાસવાનને બનાવ સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન

હાલ પોલીસ પકડાયેલા પીન્ટુ પાસવાનને બનાવ સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું છે. વધુ તપાસ અને કાર્યવાહી ચાલુ છે.


આ પણ વાંચો----  Gujarat Flashback 2025 : ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ક્ષેત્રમાં 2025નું વર્ષ મહત્વનું રહ્યું, રેકોર્ડબ્રેક હિટ અને રાષ્ટ્રિય પુરસ્કાર પણ જીત્યા

  • Follow us on: