સુરતમાં ગજેરા બંધુઓ પર પોલીસનો સકંજો વધુ મજબૂત બન્યો છે. 1929 કરોડના છેતરપિંડી કૌભાંડમાં કડક કાર્યવાહી શરુ કરાઇ છે.


ગજેરા બંધુઓ સામે લુક આઉટ નોટિસ જારી

પોલીસ દ્વારા ગજેરા બંધુઓ સામે લુક આઉટ નોટિસ જારી કરવામાં આવી છે. આ કૌભાંડમાં વસંત ગજેરા સહિત 9 આરોપીઓ ફરાર છે, અને હાઈકોર્ટે આ મામલામાં ફરિયાદ નોંધવા માટે આદેશ આપ્યા બાદ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

1929 કરોડના કૌભાંડમાં ગજેરા બંધુઓનો મુખ્ય હાથ

1929 કરોડના કૌભાંડમાં ગજેરા બંધુઓનો મુખ્ય હાથ હતો. વસંત ગજેરા અને અન્ય 9 આરોપીઓ હાલમાં ફરાર છે અને તેમની ધરપકડ માટે પોલીસે કડક પગલાં લેવામાં શરૂ કર્યા છે.

હાઈકોર્ટના આદેશ બાદ આરોપીઓ ભૂગર્ભમાં

હાઈકોર્ટના આદેશને અનુસરીને જ્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી, ત્યારથી આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તેઓ વિદેશ ભાગી ના છુટે તે માટે આરોપીઓ સામે લૂક આઉટ નોટિસ કરી કરી દેવાઇ છે.

કોલ ડીટેલ્સના આધારે તપાસ

પોલીસે આરોપીઓની કોલ ડીટેલ્સ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે. આ તપાસથી આરોપીઓના સ્થાન અને સંકળાયેલા લોકોની ઓળખ મેળવવાની કોશિશ કરી રહી છે.


આ પણ વાંચો-----     Gujarat Latest News Live : હવામાન વિભાગનું વેધર બુલેટિન જાહેર, 8 થી 11 વાગ્યા સુધી માવઠાની આગાહી

  • Follow us on: