સુરતના પાલનપુરના જકાતનાકા વિસ્તારમાં સરસ્વતી પાર્ક ટાઉનશિપ ખાતે બિલ્ડીંગનો દાદર તૂટી પડતાં ભય ફેલાઇ ગયો હતો. જો કે ફાયર બ્રિેગેડે સ્થળ પર પહોંચીને 19 લોકોને સલામત રીતે બચાવી લીધા હતા અને સદનસીબે જાનહાનિ ટળી હતી


અચાનક દાદર તૂટી પડ્યો હતો

 ઘટના વિગતો મુજબ આ બિલ્ડિંગ ગ્રાઉન્ડ + 3 માળની હતી, જેમાં અચાનક દાદર તૂટી પડ્યો હતો. ઘટના જાણ થતા જ ફાયર વિભાગની ટીમ સ્થળે પહોંચી ગઈ. ફાયર વિભાગે તરત રેસ્ક્યુ કામગીરી શરૂ કરી અને કુલ 19 લોકોને સલામત બહાર કાઢ્યા હતા

સદનસીબે, કોઈ જાનહાનિ નોંધાયેલી નથી

સદનસીબે, કોઈ જાનહાનિ નોંધાયેલી નથી, અને તમામને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી. હાલ રેસ્ક્યુ ટીમ બિલ્ડિંગના ભવિષ્ય અને સુરક્ષાના મુદ્દાઓનું મૂલ્યાંકન કરી રહી છે.

આ પણ વાંચો-- Rajkot : આટકોટમાં પિતાના હાથે નશેડી પુત્રની હત્યા, અવાર નવાર નશો કરી ઝઘડા કરતો હોવાથી કંટાળી ઢીમ ઢાળી દીધું

  • Follow us on: