હાલમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે. આ દરમિયાન અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈનું મોત નિપજ્યું છે. જેના કારણે યુદ્ધની સ્થિતિ વણસી રહી છે. આ દરમિયાન ફ્રેન્ડ ઓફ ઈઝરાયેલ સંસ્થાના સ્થાપકનું નિવેદન સામે આવ્યું છે. સંદેશ ન્યૂઝ સાથે નીકિતન કોન્ટ્રાક્ટરે વાતચીત કરી હતી.


રઝા પહેલવી ઈરાન છોડી ચાલ્યા ગયા :નીકીતન

ફ્રેન્ડ ઓફ ઈઝરાયેલ સંસ્થાના સ્થાપક નીકિતન કોન્ટ્રાક્ટરે સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ઈરાનના રઝા પહેલવીના ઈઝરાયેલ સાથે સારા સંબંધો હતો. 47 વર્ષ પહેલા તેમણે ત્યાંના રાજા સામે ક્રાંતિ કરી હતી. ત્યાર બાદ રઝા પહેલવી ઈરાન છોડીને ચાલ્યા ગયા હતાં. હવે રઝા પહેલવીને દેશમાં પરત ફરવું છે. તેઓ પરત નહીં ફરે ત્યાં સુધી આ યુદ્ધ ચાલુ રહે તેવી શક્યતાઓ છે. બીજી તરફ આસપાસના દેશો સાથે પણ ઈરાનના સંબંધો સારા નથી.

ઈઝરાયેલ રઝા પહેલવીને સત્તાઅપાવે તેવી શક્યતા

ઈરાનમાં સિયા મુસ્લિમની સ્થાપનાના પ્રયાસ થયા હતાં. વિશ્વામાં સૌથી મોટો ત્રીજો દેશ ઈરાન હતો. હવે વિશ્વમાં તે 100 નંબર કરતાં પણ પાછળ છે. જો ઈરાનની આર્મી હારી જાય તો માત્ર 15 મિનિટમાં સરકાર ઉથલી જાય. ઈઝરાયેલ રઝા પહેલવીને ફરી સત્તા અપાવે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે.


આ પણ વાંચોઃ Gir Somnath News: કોડિનારમાં સિયા મુસ્લિમોએ ઈરાનના ખામેનેઈના સમર્થનમાં જુલૂસ કાઢ્યું


  • Follow us on: