વડોદરા સહિત સાવલીના સાંઢાસાલ ગામના 10 લોકો મ્યાનમારમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે. નોકરીની લાલચ આપી આ યુવકોને મ્યાનમાર લઈ જવામાં આવ્યા હતાં. છેલ્લા 20 દિવસથી આ યુવકો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. આ યુવકોએ વીડિયોના માધ્યમથી ભારત સરકાર પાસે મદદ માગી છે. તેમના પરિવારોએ પણ સરકાર તેમને પરત લાવે તેવી માગ કરી છે.


સ્થાનિક એનજીઓ દ્વારા આશરો આપવામાં આવ્યો

વડોદરા સહિત સાવલી તાલુકાના સાંઢાસાલ ગામના કૂલ 10 યુવકોને ડેટા એન્ટ્રીની નોકરીની લાલચ આપીને મ્યાનમાર લઈ જવાયા હતાં. આ યુવકો છેલ્લા 20 દિવસથી ત્યાં ફસાઈ ગયાં છે. આ યુવકોએ એક વીડિયોના માધ્યમથી ભારત સરકાર પાસે મદદ માગી છે. આ યુવકોના પરિવારજનોએ પણ તેમને પરત લાવવા માટે સરકાર પાસે માગ કરી છે. હાલમાં આ યુવકોને સ્થાનિક એનજીઓ દ્વારા આશરો આપવામાં આવ્યો છે.

ગુજરાતના 100થી વધુ યુવકો મ્યાનમારમાં ફસાયા

ગુજરાતના 100થી વધુ યુવકો મ્યાનમારમાં ફસાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. છેલ્લા 20 દિવસથી ઈમિગ્રેશન થઈ ગયું હોવા છતાં કોઈ મદદ કે રસ્તો નહીં નીકળતા તેમણે સરકાર પાસે મદદ માગી છે. તેમણે એક વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. પૈસા ખૂટી ગયા હોવાથી ગુજરાતના યુવાનોએ સરકાર પાસે મદદ માગી છે. સાંઢાસાલ ગામનો ગુંજન શાહ 20 દિવસથી ફસાયો હોવાનું પણ જાણવા મળ્યું છે.


આ પણ વાંચોઃ Rajkot News: 17 લાખની કિંમતની 15 કિલો ચાંદી ચોરી કરનાર ઘરઘાટી ઝડપાયો


  • Follow us on: