રાજકોટમાં 15 કિલો ચાંદીની ચોરીના કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. મકાન માલિકે એક મહિના પહેલા કામે રાખેલા ઘરઘાટીએ જ ઘરમાં હાથ ફેરો કર્યો હતો. ઘરઘાટીએ 17 લાખ રૂપિયાની કિંમતની 15 કિલો ચાંદીની ચોરી કરી હતી અને ત્યાર બાદ ફરાર થઈ ગયો હતો. પોલીસે આ ચોરી અંગેની ફરિયાદ નોંધાયા બાદ તપાસ શરૂ કરી હતી. જેમાં ઘરઘાટી વિજય નાગણીને ઝડપી પાડવામાં આવ્યો છે.


એક મહિના પહેલા કામે રહેલા ઘરઘાટી કરી હતી ચોરી

રાજકોટમાં એક મહિના પહેલા જ કામે રાખેલા ઘરઘાટીએ 17 લાખની કિંમતની 15 કિલો ચાંદીની ચોરી કરી હતી. આ કેસમાં પોલીસે ચાંદીની ચોરી કરનાર ઘરઘાટી વિજય નાગણીની ધરપકડ કરી છે. તેની પાસેથી ચાંદીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તેની પુછપરછમાં મોટો ખુલાસો થયો છે.

ચોરી કરવાના ઈરાદે જ ઘરઘાટી તરીકે કામ કરતો હતો.

તેણે પોલીસને જણાવ્યું હતું કે, તે ચોરી કરવાના ઈરાદે જ ઘરઘાટી તરીકે કામ કરતો હતો. આરોપી વિજય નાગણી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે તેની પાસેથી ચાંદીનો જથ્થો અને એક વાહન કબજે કર્યું છે. તે ઉપરાંત અગાઉ તેણે ક્યાં ક્યાં ચોરી કરી છે તેની પણ પુછપરછ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચોઃ Jetha Bharwad Politcal Profile : કદાવર નેતા જેઠાભાઈ ભરવાડે ઉપાધ્યક્ષ પદ છોડ્યું, જાણો તેમની રાજકીય કારકિર્દી વિશે


  • Follow us on: