વડોદરમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યા વધી રહી હોય તેમ જણાઈ રહ્યું છે. આવામાં વધુ એક અકસ્માત સર્જાતા શહેરમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની મળતી માહિતી અનુસાર, વડોદરા અંકલેશ્વર હાઇવે પર બાઈક અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક અજાણ્યા વાહન દ્વારા બાઈક પર સવાર દંપતિને અડફેટે લેવામાં આવ્યું હતું. જેમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.


અકસ્માતમાં બાઈક પર સવાર મહિલાનું ઘટના સ્થળે મોત

વડોદરાથી અંકલેશ્વર તરફ જતા હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. આ દંપતી બાઈક પર સવાર થઈને નેશનલ હાઇવે 48 સુંદરપુરા પાટીયા પાસેથી પસાર થઈ રહ્યું હતું. જે દરમિયાન તેમને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર મહિલા જયશ્રીબેન પટેલનું ઘટના સ્થળે મોત થયું હતું.




અકસ્માતોની સંખ્યા વધતા લોકોમાં ચિંતાનો માહોલ 

જ્યારે બાઈકચાલક ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ માર્ગ પર વારંવાર અકસ્માતની ઘટના બને છે. આ અકસ્માતોની સંખ્યા વધતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો માર્ગ અકસ્માત રોકવા માટે તેમજ બેદરકારીથી વાહન ચલાવતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.


આ પણ વાંચો - Vadodara News : વડોદરા ક્રાઈમ બ્રાન્ચે વેશ પલટો કરી ચેન સ્નેચિંગના આરોપીને UPથી ઝડપ્યો


  • Follow us on: