વડોદરામાં ખુલ્લી ગટરમાં પડી જવાથી નિર્દોષના મોતને લઈ રોષ વ્યાપ્યો છે, પરિવારનો આક્ષેપ છે કે, સુરક્ષા માટે કોઈપણ પ્રકારના બેરિકેડિંગ લગાવ્યા હતા નહી અને કોન્ટ્રાક્ટર-અધિકારીઓની બેદરકારીથી મોતનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જવાબદાર સામે હત્યાનો ગુનો નોંધવા સ્થાનિકોની માગ છે.
વડોદરા મનપા કમિશનર તાત્કાલિક પગલાં ભરે તેવી માગ ઉઠી
આ ઘટનાની વાત કરીએ તો નિવૃત્ત DySPના પુત્ર વિપુલ ઝાલાનું ગટરમાં પડતા મોત થયું છે, ગત રાત્રે નિવૃત્ત ડીવાયએસપીના પુત્ર વિપુલસિંહ ઝાલા રોડ પરતી પસાર થઈ રહ્યાં હતા તે દરમિયાન ડ્રેનેજની મેઇન હોલમાં પડી જતા તેમનું મોત થયું છે, નિર્દોષ નાગરિકનું ખુલ્લી ગટરમાં પડી જતા મોત નીપજતા સ્થાનિકોનો રોષ છે અને રાત્રે અંધારું હતું અને કોઈ પણ પ્રકારના સુરક્ષા માટેના બેરીકેટ લગાવ્યા હતા નહી તેવી વાત પણ સામે આવી છે, કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની ગંભીર બેદરકારી ને પગલે મોત થયાના આક્ષેપ કરવામાં આવ્યા છે.













