વડોદરામાં ચોમાસા પૂર્વે વિશ્વામિત્રી નદી સાથે જોડાયેલી બહુચરાજી ખાડીનો મુદ્દો ચિંતાનો વિષય બન્યો છે. કારેલીબાગ વિસ્તારમાં આવેલી બહુચરાજી ખાડીમાં વરસાદી પાણીના વહેણને અવરોધવામાં આવતા સ્થાનિક સ્તરે પાણી ભરાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
બ્રિજના વાઇડનિંગનું કામ હાલમાં ચાલી રહ્યું છે
માહિતી મુજબ, ખાડી પર આવેલા બ્રિજના વાઇડનિંગનું કામ હાલમાં ચાલી રહ્યું છે. આ કામ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા ખાડીમાં માટી નાખી અસ્થાયી રસ્તો બનાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે વરસાદી પાણીના કુદરતી વહેણને અસર પહોંચી છે અને પાણીની અવરજવર અવરોધાઈ ગઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.













