વડોદરાના પૂર્વ પશ્ચિમ વિસ્તારને જોડતા ફતેગંજ–રાણેશ્વર સર્કલ નજીક ગઈ મોડી રાત્રે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પીવાનું પાણી રસ્તા પર વેડફાઈ ગયું. ભંગાણના કારણે બનેલા ખાડા અને શાસ્ત્રી બ્રિજની રોડ કામગીરી સાથે મળીને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇ હતી અનેક વાહનચાલકો અટવાયા.
પાણીની લાઈનમાં થયેલા ભંગાણના કારણે મોટો ખાડો પડ્યો
જાહેર વિભાગોમાં સંકલનનો અભાવ જોવા મળ્યો છે. શાસ્ત્રી બ્રિજ પર કાર્પેટીંગની કામગીરી ચાલી રહી હોવાથી એક તરફનો રસ્તો બંધ છે, જ્યારે બીજી બાજુ પાણીની લાઈનમાં થયેલા ભંગાણના કારણે મોટા ખાડા પડયા છે. તંત્ર દ્વારા ખાડાનું રીપેરિંગ કરવા માટેની કામગિરી શરુ કરાઇ છે. જેના કારણે પણ ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇ ગઇ હતી













