ગીર સોમનાથમાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના જનરલ બોર્ડની બેઠક મળી હતી. ભાજપ શાસિત આ બોડીની મુદત 14 માર્ચે પૂર્ણ થાય છે. પાલિકા પ્રમુખના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાઈ હતી. દોઢ કલાકની બેઠકમાં કૂલ 28 ઠરાવો રજૂ કરાયા હતાં. મોટાભાગના વિકાસકામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતાં. ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે તંદુરસ્ત ચર્ચાઓ થઈ હતી. આ બેઠકમાં પાણી અને રસ્તાની પ્રાથમિક સુવિધાઓ પર ભાર અપાયો હતો.
ચાર સભ્યોના રજાના રિપોર્ટ રજૂ કરાયા હતાં
ગીર સોમનાથમાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની વર્તમાન બોડીની આખરી જનરલ બોર્ડ બેઠક યોજાઈ હતી.પાલિકા પ્રમુખ પલ્લવીબેન જાનીના અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડ મળ્યું હતું. દોઢ કલાકથી વધુ સમય સુધી ચાલેલી મહત્વપૂર્ણ બેઠકમાં એજન્ડા મુજબ તથા પ્રમુખસ્થાનેથી કુલ 28 ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતાં. જેમાં મોટાભાગના ઠરાવો સર્વાનુમતે મંજૂર કરાયા હતાં. કુલ 44 સભ્યોમાંથી ભાજપના 22 સભ્યો હાજર અને 5 સભ્યો ગેરહાજર રહ્યા હતાં. ભાજપના ચાર સભ્યોના રજાના રિપોર્ટ રજૂ કરાયા હતાં.













